કાશ્મીર ત્રાસવાદી હુમલાના 3 ગુજરાતી મૃતકોના અગ્નિસંસ્કાર કરાયા

કાશ્મીર ત્રાસવાદી હુમલાના 3 ગુજરાતી મૃતકોના અગ્નિસંસ્કાર કરાયા

કાશ્મીર ત્રાસવાદી હુમલાના 3 ગુજરાતી મૃતકોના અગ્નિસંસ્કાર કરાયા

Blog Article

કાશ્મીરના પહેલગામમાં મંગળવાર, 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં ગુજરાતના પણ ત્રણ પ્રવાસીઓ હતાં. તેમના મૃતદેહોને બુધવારની રાત્રે ગુજરાતમાં ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા અને ગુરુવારે અંતિમસંસ્કાર કરાયા હતાં. ત્રણેયની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં.




મંગળવારે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં સુરતના શૈલેષ કળથીયા, ભાવનગરના યતીશ પરમાર અને તેમના પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થતો હતો. આ હુમલામાં ગુજરાતના બીજા પ્રવાસીઓ ઘાયલ થયા હતાં.

Report this page